Home> Entertainment
Advertisement
Prev
Next

સુશાંતે મધરાતે જે મિત્રને ફોન કર્યો હતો, તેણે હવે લખી ભાવુક પોસ્ટ, કહ્યું-'ધરતીમાતાની કસમ...'

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સહિત દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે. એક ઝગમગતા સિતારાએ અચાનક પોતાનું જીવન ટૂંકાવી દીધુ. આ બધામાં જો સૌથી સ્તબ્ધ થયો હોય તો તે છે અભિનેતા મહેશ કૃષ્ણા શેટ્ટી (Mahesh Shetty) જે સુશાંતના એકદમ ખાસ મિત્રોમાંથી એક ગણાય છે. આ એ જ વ્યક્તિ છે જેને સુશાંતે છેલ્લે ફોન કર્યો હતો. પરંતુ ત્યારે મહેશ સુશાંતનો ફોન ઉઠાવી શક્યો નહતો. 

સુશાંતે મધરાતે જે મિત્રને ફોન કર્યો હતો, તેણે હવે લખી ભાવુક પોસ્ટ, કહ્યું-'ધરતીમાતાની કસમ...'

મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) રવિવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સહિત દેશ આખો સ્તબ્ધ થઈ ગયો છે. એક ઝગમગતા સિતારાએ અચાનક પોતાનું જીવન ટૂંકાવી દીધુ. આ બધામાં જો સૌથી સ્તબ્ધ થયો હોય તો તે છે અભિનેતા મહેશ કૃષ્ણા શેટ્ટી (Mahesh Shetty) જે સુશાંતના એકદમ ખાસ મિત્રોમાંથી એક ગણાય છે. આ એ જ વ્યક્તિ છે જેને સુશાંતે છેલ્લે ફોન કર્યો હતો. પરંતુ ત્યારે મહેશ સુશાંતનો ફોન ઉઠાવી શક્યો નહતો. 

fallbacks

મહેશ શેટ્ટીએ સુશાંતને યાદ કરીને લખી પોસ્ટ
સુશાંતના નિધન બાદ હવે મહેશે પોતાના આ જીગરી દોસ્તની યાદમાં એક ભાવુક પોસ્ટ લખી છે. મહેશે સોશિયલ મીડિયા પર એક લાંબી લચક પોસ્ટ દ્વારા સુશાંત સાથે વિતાવેલા સમયને યાદ કર્યો છે અને એક્ટરના ખુબ વખાણ કર્યા છે. મહેશે સુશાંતને પોતાનો ભાઈ ગણાવ્યો. પોસ્ટમાં તેણે લખ્યું કે પોતાની જિંદગીમાં તમે અનેકવાર એવા માણસને મળો છો કે જેની સાથે તમારું જબરદસ્ત બોન્ડિંગ થઈ જાય છે. એવું લાગે છે કે તમે તેને લાંબા સમયથી જાણો છો. તમને સમજમાં આવે છે કે ભાઈ થવા માટે તમારે એક માતાની કોખેથી જન્મ લેવો જરૂરી નથી. આવી જ રીતે અમે મળ્યાં હતાં. સુશાંત અને હું ભાઈ જેવા હતાં. 

મહેશે પોતાની પોસ્ટમાં સુશાંતના જિંદાદીલ સ્વભાવનો પણ ઉલ્લેખ કર્યો છે. તે લખે છે કે તે એક એવા બાળક જેવો હતો જે કોઈ કેન્ડી શોપ પર ઊભો હોય. જબરદસ્ત એનર્જી અને સપના એવા કે જે ક્યારેય ખતમ ન થાય. મહેશે સુશાંતને એક પરફેક્શનિસ્ટ ગણાવ્યો. તેનું માનીએ તો તે સુશાંતની દરેક ફિલ્મ જોઈને ખુબ ખુશ થતો હતો. તેને સુશાંતની એ લગન અને મહેનત દરેક ભૂમિકામાં જોવા મળતી હતી. 

હવે સુશાંત આ રીતે જતા રહેતા મહેશ કૃષ્ણા શેટ્ટી તૂટી ગયો છે. તેને એ વાતનું દુ:ખ છે કે તે સુશાંતના દર્દને સમજી શક્યો નહીં. તે લખે છે કે - ધરતીમાતાના સોગંદ, દરેક રાતે હું તારામાં તને જોઈશ. સોશિયલ મીડિયા પર મહેશની આ પોસ્ટ વાયરલ થઈ ગઈ છે. કેટલાક ફેન્સના મનમાં નારાજગી છે તો કેટલાક પોતાની સહાનુભૂતિ પણ દેખાડી રહ્યાં છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More